Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)વિદેશોમાં આધુનિક ટેકનોલોજીની મદદથી હવે ડ્રાયવર વિના કાર હંકારી શકાય તેવી ટેસ્લા કારની દિશામાં ઓટોમોબાઈલ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે અને ભારતમાં પણ ડ્રાયવર વિના ચાલતી કાર માટે સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાનાં નાપા ગામની આદર્શ શૈક્ષણિક સંકુલની બે વિદ્યાર્થીનીઓએ ડ્રાયવર વિના ચાલતી કારનો પ્રોજેકટ બનાવી વિજ્ઞાન મેળામાં રજુ કરતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વલાસણ ગામે યોજાયેલા જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાયેલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં નાપાની આદર્શ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓ મહેજબીન જે રાણા અ્ને જસ્મીન જે રાણા દ્વારા ઓટો પાયલોટ કાર ઈન્ડીય ટેસ્લાનો પ્રોજેકટ રજુ કર્યો હતો,…
Today Gujarati News (Desk)પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે. આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર ત્રણ દિવસીય મહોત્સવને લઈને ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ સહિત દેશના તમામ પ્રાંતોના ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાથે આવશે ત્યારે અર્બુદા માતાજીના આ યોજનારા રજત જયંતિ મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે.બનાસકાંઠાના ગામડામાંઓ માંથી ચૌધરી સમાજના યુવાનો બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં અર્બુદા માતાજીનાં સંઘ સાથે પાલનપુર અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે..ત્યારે આજે 25 હજાર લોકો સંઘ સાથે પગપાળા અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા.ફેબ્રુઆરી માસની ત્રણ ચાર અને પાંચ તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે, જેમાં અલગ…
Today Gujarati News (Desk)મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન, પુણ્ય, વ્રત, સૂર્ય આરાધના તેમજ પતંગ ઉડાવવાનો મહિમા છે. પરંતુ, આ વખતે મકરસંક્રાંતિનો પુણ્યકાળ 15 જાન્યુઆરી, રવિવારના રોજ એટલે કે આજે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પુણ્યકાળમાં કેટલાંક એવાં કાર્યો પણ કરી શકાય છે કે જેનાથી આપની ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. તો ચાલો એ જાણીએ કે આજે કયા કાર્ય સવિશેષ ફળદાયી બની રહેશે અને સાથે જ તે આપને ધનપ્રાપ્તિમાં આશિષ પણ પ્રદાન કરશે.લક્ષ્મી નારાયણની આરાધનાઆજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે આરાધના કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપના પરિવાર પર અકબંધ રહેશે.તલના લાડુનું દાન !મકરસંક્રાંતિમાં તલના લાડુ…
Today Gujarati News (Desk)દિગ્ગજ વૈશ્વિક ટેક્નોલોજી કંપની ગૂગલે એન્ડ્રોઈડ મોબાઈલ ટેક્નોલોજીમાં તેની સર્વોપરિતાના દુરુપયોગ અંગેના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના નિર્ણય સામે NCLT સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણીમાં વિલંબના આધારે સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માંગ કરી છે. ગૂગલે તેની અરજીમાં કહ્યું છે કે નેશનલ કંપની લો એપેલેટ લો ટ્રિબ્યુનલ (NCLT) તેને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરવાના પરિણામોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.રાહત નહીં મળે તો કંપની મુશ્કેલીમાં મુકાઈ જશેકંપનીના જણાવ્યા અનુસાર વચગાળાની રાહત નહીં મળે તો તેણે 14-15 વર્ષ સુધી જાળવવામાં આવેલી યથાસ્થિતિમાં ફેરફાર કરવો પડશે અને 19 જાન્યુઆરીથી તેણે તેના સંપૂર્ણ બિઝનેસ મોડલમાં પણ ફેરફાર કરવો પડશે. ગૂગલની…
Today Gujarati News (Desk)દેશના ઘણા રાજ્યોમાં બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મોટાભાગની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી, માર્ચમાં યોજાવાની છે. જો આ વાતને ધ્યાનમાં રાખીએ તો વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા માટે બહુ ઓછો સમય બચ્યો છે. જો કે પરીક્ષાની તૈયારી અત્યારથી જ યોગ્ય Time Management સાથે કરવામાં આવે તો સારા માર્ક્સ મેળવી શકાય છે. સમય દરેક માટે મહત્વપૂર્ણ છે, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં તે વધુ મહત્વપૂર્ણ છે. શૈક્ષણિક અને વ્યક્તિગત સફળતા હાંસલ કરવી જરૂરી છે.આ જ કારણ છે કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે Time Management ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉત્તમ Time Management દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી…
Today Gujarati News (Desk)મિસ યુનિવર્સ 2022નું રિઝલ્ટ બધાની સામે આવી ગયા છે. અમેરિકાના આર’બોની ગેબ્રિયલ આ ખિતાબ જીત્યો છે. 71મી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર ભારતના ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ પોતાના હાથે મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવ્યો હતો.ભારતની દિવિતા રાયને ફિનાલે પહેલા જ બહાર કાઢવામાં આવી હતી. ટોપ 3 સ્પર્ધકો વિશે વાત કરીએ તો વેનેઝુએલાના અમાન્ડા ડુડામેલ ન્યુમેન યુએસની આર બોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકના એન્ડ્રીયા માર્ટિનેઝ અંતિમ રાઉન્ડમાં હતા. જેમાંથી આર બોની ગેબ્રિયેલે બધાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જો કે આ વર્ષની મિસ યુનિવર્સ સ્પર્ધામાં એક…
Today Gujarati News (Desk)કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે..આજે તેમણે કલોલ નજીકના આદ્રજ ગામે 48 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ.આ પ્રસંગે અમિત શાહ વિરોધીઓ પર ખુબ વરસ્યા. તેમણે કહ્યુ કે કોંગ્રેસના લોકો નવા કપડા સિવડાવી આવ્યા હતા.દિલ્લીથી પણ અમુક લોકો મફતના વચનો લઈ આવ્યા હતા.પરંતુ મફતની વાત કરનારાઓને ગુજરાતની જનતાએ જવાબ આપ્યો. જાતિવાદના ઝેરને સમાપ્ત કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું..લોભામણી જાહેરાતો આપનારને તમાચો મારવાનું કામ ગુજરાતે કર્યું..અમિત શાહે 2024માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2024માં નરેન્દ્ર મોદી જ ફરી દેશના વડાપ્રધાન બનશેઅમદાવાદના બોડકદેવમાં અમિત શાહના હસ્તે સ્કાઉટ ગાઇડ નિવાસ ભવનનું લોકાર્પણ કરાયું…
Today Gujarati News (Desk)વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ચેન્નાઈમાં થુગલક મેગેઝિનના 53માં વર્ષગાંઠના દિવસે સંબોધન કર્યું હતું. જેમાં વિદેશ મંત્રીએ ચીનને લઇ મજબુત પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ભારત સીમા પારના પડકારોથી ડરતું નથી તે કોઈ પણ પરિસ્થિતિને લઇ તૈયાર છે. વિદેશ મંત્રીએ હતુ કહ્યું કે, તમામ દેશોમાં રાષ્ટ્રીય સુરક્ષાની કસોટી થઈ રહી છે, પરંતુ ભારત માટે તે કઈંક વધારે જ છે. જેમાં બળવાખોરી અને યુદ્ધથી લઈને સરહદ પારના આતંકવાદ, ખાસ કરીને આતંકવાદનો સમાવેશ થાય છે. LAC પર ચીનની હરકતો અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રહારો કર્યા હતા. ભારત એવો દેશ છે જેના પર કોઈ દબાણ કરી શકે નહીંવિદેશ…
Today Gujarati News (Desk)અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યુ છે. આ એક એવી ટેકનોલોજીથી બની રહ્યુ છે કે તેને હજારો વર્ષ સુધી મંદિરને કંઈ જ નહી થાય. જેમા રામમંદિરના નિર્માણ માટેના આ ખડકો રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા છે. તેમાથી સુંદર કોતરણી કરી થાંભલા બનાવવામાં મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કલાત્મક થાંભલા બનાવવા માટે પાંચથી છ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પત્થરો એક બીજાની ઉપર મૂકવામાં આવે છે. પથ્થરોને ફીટ કરવા માટે ન તો સિમેન્ટનો કે ન તો કોઈ તો લોખંડનો ઉપયોગ કરવામાં આવે છેભગવાન શ્રીરામના આ ભવ્ય મંદિર નિર્માણમાં સૌથી મોટી વાત…
Today Gujarati News (Desk)અમદાવાદ ખાતે ઉજવાયેલ પ્રમુખ સ્વામી મહોત્સવની આજે પુર્ણાહુતી થવા જઈ રહી છે. તો બાજુ આજ 15 જાન્યુઆરીથી જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે. જે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ધર્મ ગુરૂના પ્રવચન સાંભળવા એક સાથે 25,000 લોકો બેસી શકે તે માટે ભવ્ય મંડપનું નિર્માણપદ્મ ભૂષણ અને જૈન સમાજના આધ્યાત્મિક ગુરૂ વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકોનુ વિમોચન કરવામાં આવી રહ્યુ છે. આ સ્પર્શ મહોત્સવનાં ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયુ છે. આ મહોત્સવ GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં 1500 ફૂટ…