Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ ભાજપ કાર્યકારિણીમાં પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને બધાએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે, જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.તેમણે ભાજપને બહુ મોટી લોકતાંત્રિક પાર્ટી ગણાવી અને કહ્યું કે, લોકતાંત્ર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘કોવિડ રોગચાળા સમયે જે.પી. નડ્ડાના નેતૃત્વમાં બૂથથી લઈને…
Today Gujarati News (Desk)ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેમને માત્ર બોલીવુડ જ નહીં, ટોલીવુડ અને સમગ્ર દુનિયાની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. બચ્ચન પરિવારની પુત્રવધૂ હોવાના કારણે તેમની પ્રસિદ્ધિ હંમેશા વધતી રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને આ અપકમિંગ ફિલ્મ પીએસ-2ના પ્રમોશનમાં લાગેલી છે. ગયા વર્ષે પીએસ-1ને ઓડિયન્સ પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો હતો. હવે બીજો પાર્ટ એપ્રિલમાં રિલીઝ થશે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટેક્સ ન ભરવાના મામલે જોડાઈ ગયુ છે. આ મામલે તેમને નાસિકના મામલતદારે નોટિસ મોકલી છે.રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ નાસિકના સિન્નરમાં અડવાડી વિસ્તારમાં એક પવન ચક્કી…
Today Gujarati News (Desk)દેશ ગણતંત્ર દિવસની તૈયારીઓમાં લાગેલો છે. દરમિયાન આતંકી સંગઠન 26મી જાન્યુઆરીએ ભારત પર આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. આતંકી સંગઠનોના આ ષડયંત્રનો ખુલાસો ખાનગી એજન્સીઓની રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગણતંત્ર દિવસે આઈએસઆઈ, ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદા દિલ્હી, પંજાબ, યુપી સહિત દેશના અન્ય ભાગમાં આતંકી હુમલા કરાવી શકે છે.આ એલર્ટ બાદ દિલ્હી સહિત અન્ય સ્થળોની સુરક્ષા કડક કરી દેવાઈ છે. જોકે સુરક્ષા એજન્સીઓના ખાનગી રિપોર્ટમાં 26 જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ સહિત દેશના અમુક શહેરોમાં આતંકી હુમલાનું ઈનપુટ મળ્યુ છે. ISIએ આ હુમલાને અંજામ આપવા માટે દાઉદ ગેંગના સભ્યોની મદદ લીધી છે. એજન્સીઓએ…
Today Gujarati News (Desk)ગુજરાતની જનતા પર વધુ એક ભારણ નંખાયું છે, એટલે કે વધુ એક ભાવ વધારાનો બોજ નખાયો છે. ઉત્તર ગુજરાતની 1.30 કરોડ ગુજરાતીઓના માથે વીજ દર વધારાનો બોજો નાખવાની જાહેરાત કરાઈ છે. સાંભળીને ચમક્યાને… પરંતુ આ હકીકત છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે. જેની અસર 1.30 કરોડ ગુજરાતીઓને પડશે.UGVCLએ વીજ દરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાં જ હવે વપરાશ કરનારા ગ્રાહકોના આગામી લાઈટ બિલમાં વીજ દર વધારાની અસર જોવા મળશે. વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર તમામ વર્ગના…
Today Gujarati News (Desk)વર્ષ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે તે સમયે દેશમાં 565 રજવાડા હતા. અલગ અલગ શહેર અને વિસ્તારમાં રાજા, મહારાજા, નિઝામ અને નવાબો હતા. તેમના નિયમ-કાયદા અને કાનૂન પણ અલગ-અલગ હતા. ગુજરાતના વડોદરામાં આવું જ એક રજવાડૂં હતુ, જે દેશનું ત્રીજું સૌથી અમીર રજવાડું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બરોડાના રજવાડાએ તેનો શ્રેષ્ઠ સમય દેખ્યો હતો. સયાજીરાવ ગાયકવાડે ઘણી શૈક્ષણિક સંસ્થાઓનો પાયો નાંખ્યો. આમાં તેમની પત્ની અને મહારાણી ચીમનબાઈ દ્વિતીયે તેમને ખૂબ જ સારો સાથ આપ્યો. તેમણે પોતાની કિંમતી તિજોરી પણ દાનમાં આપી દીધી હતી. મહારાણી ચિમનાબાઈ અપાર સંપત્તિના માલિક હતા. તેમની પાસે સોના, ચાંદી, હીરા, મોતીના…
Today Gujarati News (Desk)પતિ કમાણી માટે બહાર ગયો હતો અને તેની પીઠ પાછળ પત્ની તેના મિત્ર સાથે ફરતી હતી. બંને પાર્કમાં ઝૂલતા હતા અને આ દરમિયાન કોઈએ વીડિયો બનાવીને તેના પતિના ફોન પર મોકલી દીધો હતો. આ વીડિયો જોયા બાદ તે દિલ્હીથી નવાદા ભાગીને આવ્યો. જ્યારે પતિએ પત્નીને આ કૃત્ય વિશે પૂછ્યું ત્યારે પત્નીએ પતિને એટલું જોરથી માર્યું તેનું માથું ફાટી ગયું. જણાવી દઈએ કે આ મામલો બિહારના નવાદા જિલ્લાનો છે, જ્યાં આ ઘટના જોવા મળી હતી. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.પત્નીની બેવફાઈ પર ગુસ્સે થયો પતિપતિ-પત્ની અને પ્રેમીની લવ ટ્રાયેન્ગલ ફિલ્મની સ્ક્રિપ્ટ સાથેના…
Today Gujarati News (Desk)અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે એ જ રીતે જો વધુ એક નવા નિયમની વાત કરીએ તો અમદાવાદ વડોદરા ને જોડતા હાઈવે ઉપર પણ જો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવવા માટે 500નો દંડ ભરવો પડશે. અત્યાર સુધી હેલ્મેટ, સીટબેલ્ટ, 3 સવારી, ફેન્સી-ખામીયુક્ત નંબર પ્લેટ, સિગ્નલ કે ઝિબ્રા ક્રોસિંગ ભંગ બદલ ઈ-મેમો ઈશ્યૂ થતા હતા. પરંતુ 2023ના વર્ષથી હાઈવે પર ઓવરસ્પીડમાં જતા વાહનચાલકો, સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલકો, રોંગ સાઈડ થી ઓવરટેક કરતા વાહનચાલકોને પણ સ્થળ પર દંડ વસૂલ કરવાનું શરૂ કરાયુ છે.અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસને ઇન્ટરસેપ્ટર વાન…
Today Gujarati News (Desk)હાલ હજુ વિશ્વમાં કોરોના મહામારી યથાવત છે. ચીનમાં કોરોનાનો પ્રકોપ વધતો જતો જોવા મળી રહ્યો છે. એવામાં ભારતની ચિંતામાં પણ વધારો થઇ શકે છે. કેરળમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. તે જ કારણે કેરળ સરકારે ફરીથી રાજ્યમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં ફરી એક વખત LG વીકે સક્સેના પર આકરા પ્રહાર કર્યા હતા. શિક્ષકોને ફિનલેન્ડ જવા પર રોકવાનો આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે, એલજી સાહેબની માનસિકતા છે કે, તેમના બાળકોને સારું શિક્ષણ મળે, ગરીબોના બાકોને નહીં. કેજરીવાલે એમ પણ કહ્યું કે, કાલે કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર હોઈ…
Today Gujarati News (Desk)હાલ હજુ વિશ્વમાં કોરોના મહામારી યથાવત છે. ચીનમાં કોરોનાનો પ્રકોપ વધતો જતો જોવા મળી રહ્યો છે. એવામાં ભારતની ચિંતામાં પણ વધારો થઇ શકે છે. કેરળમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. તે જ કારણે કેરળ સરકારે ફરીથી રાજ્યમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત તમામ લોકો માટે તમામ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને સામાજિક સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, રાજ્ય સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ કહ્યું છે, જેથી કરીને કોરોના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.સરકારની સૂચના મુજબ, માસ્ક અને સામાજિક અંતરની આ માર્ગદર્શિકા…
Today Gujarati News (Desk)નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિપથ યોજનાને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે યોજના વિશે કહ્યું કે, આ એક પરિવર્તનકારી નીતિ છે, જે ભવિષ્યમાં સુરક્ષા બળોને વધુ મજબૂત બનાવવાની બાબતે ગેમ ચેન્જર સાબિત થશે. વડાપ્રધાને આ નિવેદન ત્રણે સેનામાં ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચને વીડિયો કોન્ફેરન્સ સંબોધન દરમિયાન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવીરોની પ્રથમ બેચને વીડિયો કોન્ફેરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે, સુરક્ષા બળોને આધુનિકની સાથે સાથે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં સુરક્ષા બળોમાં અગ્નિવીરો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. ૉ એકવીસમી સદીમાં યુદ્ધના બદલાતા સ્વરૂપનો ઉલ્લેખ…