Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)મહાશિવરાત્રી એટલે શિવ સાધનાનો મુખ્ય તહેવાર, જે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોળા ભંડારી અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે શિવે વૈરાગી જીવનનો ત્યાગ કર્યો અને હિમાંચલ રાજા અને મૈના દેવીની પુત્રી માતા પાર્વતીને પોતાની જીવનસંગીની બનાવી હતી. આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને ઘણી જ શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આવો જાણીએ આ વખતે મહાશિવરાત્રિનું વ્રત કયા દિવસે રાખવામાં આવશે અને શંકર-પાર્વતીની પૂજા માટે કયો શુભ સમય છે.ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થઈ રહી છે…
Today Gujarati News (Desk) સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારાને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત કુલ 7 લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2001માં ઘટના બની હતી અને વર્ષ 2013માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આવતીકાલે સજા આપવામાં આવશેઉલ્લેખનીય છે કે, હાલમાં આસારામ જોધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે કોર્ટે 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા છે. આવતીકાલે સવારે 11 વાગે આસારામને સજાનું એલાન કરવામાં આવશે.શું છે મામલો?સુરતની બે બહેનોએ આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર…
Today Gujarati News (Desk)ભૂખમરી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આ દિવસોમાં હાલત ખરાબ છે. લોટ અને વીજળી જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલત એટલી ખરાબ છે કે હવે લોકો પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની ચોરી કરવા લાગ્યા છે. ચોરીની આવી જ એક ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાંથી સામે આવી છે. રાવલપિંડીના જટલીમાં 12 હથિયારધારી શખ્સોએ પોલ્ટ્રી ફાર્મમાંથી મુરઘીઓની ચોરી કરી હતી.આ ઘટનામાં 12 લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાંથી આરોપીઓ પાસે હથિયાર પણ હતા. જેના આધારે કર્મચારીઓને બંધક બનાવીને 5 હજાર મુરઘીના બચ્યાને ચોરીને લઇને ભાગી ગયા. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઘટના બાદ પોલ્ટ્રી ફાર્મના…
Today Gujarati News (Desk)શ્રીનગરમાં ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન હિમવર્ષા વચ્ચે જ આ સમારોહ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સમારોહમાં હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે હવે દેશની નજર કોંગ્રેસ પર છે. કાશ્મીર ચાલીને આવવું તે ઘર જેવું જ લાગ્યું. નફરતની રાજનીતિથી કોઈનું ભલું નહીં. તેમણે કહ્યું કે ભારત યાત્રાને સંપૂર્ણ સમર્થન મળ્યું. રાહુલે શું કહ્યું જાણો…શ્રીનગરમાં આવેલા શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગાંધીજીથી શીખ્યું છે કે જીવવું કઈ રીતે. આપણે ડર વિના જ જીવવાનું છે. હું ચાર દિવસ સુધી અહીં કઈ રીતે પગપાળા ચાલીને આવ્યો. મારી…
Today Gujarati News (Desk)પાકિસ્તાનથી એક વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ વિસ્ફોટ પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તાર પાસે વિસ્ફોટની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે.આ વિસ્ફોટ પેશાવરની મસ્જિદ થયો હતો. મસ્જિદ નમાઝ પડતા હતા તે દરમિયાન આ વિસ્ફોટ થયેલો હતો. સુત્રો દ્વરા એવી જાણકારી મળી રહી છે કે, આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. અહેવાલો અનુસાર કહેવામાં આવ્યું છે કે, ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે અને આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ સુધી 20 લોકો ઘાયલ થયા છે તેવી જાણકારી મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ…
Today Gujarati News (Desk)ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર EMSCએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમયનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જોકે ભૂકંપને કારણે લોકો ભયભીત થઈ ગયા છે પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ શિનજિયાંગના અરલથી 111 કિ.મી. દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જોકે કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ હતી. Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવીણ તોગડિયાએ વસતી નિયંત્રણ કાયદો લાવવાની માગ કરી હતી. તોગડિયાએ કહ્યું કે વસતી નિયંત્રણ કાયદાનો અભાવ અને વસતીમાં અસંતુલન એ ચિંતાનો વિષય છે. અનેક પ્રયાસો પછી હવે રામમંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યું છે અને જો વસતી નિયંત્રણ કાયદો નહીં લવાય તો પછી 50 વર્ષ બાદ દેશમાં રામમંદિર સુરક્ષિત નહીં રહે. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવીપ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ એકજૂટ થઇને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે અને રામમંદિરના નિર્માણ માટે એક મોટું આંદોલન ચલાવ્યું હતું. હિન્દુઓએ ગામે ગામ જઈને લોકોનું સમર્થન મેળવ્યું અને રામમંદિર માટે ભંડોળ એકત્રિત…
Today Gujarati News (Desk)અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગના તાજેતરના એક અહેવાલથી એશિયાના સૌથી ધનિક અને દુનિયામાં ધનિકોની યાદીમાં ચોથા ક્રમે સ્થાન મેળવનારા ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની માલિકી હેઠળના અદાણી ગ્રૂપમાં સામેલ કંપનીઓના શેરોમાં આ રિપોર્ટને કારણે મોટો કડાકો બોલાયો છે. તેના લીધે અદાણી પણ હવે વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં ચોથેથી સીધા 7મા સ્થાને સરકી ગયા છે. તો જાણીએ આખરે આ હિંડનબર્ગ રિસર્ચ કંપની છે શું અને તેનું કામ શું છે… શા માટે તેનો રિપોર્ટ આટલો મહત્વનો ગણાય છે… જાણો સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં…હિંડનબર્ગ કંપનીની સ્થાપના ક્યારે અને કોણે કરી? હિંડનબર્ગ એક અમેરિકી રિસર્ચ ફર્મ છે.…
Today Gujarati News (Desk)30 જાન્યુઆરી 1948 આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. આજે બાપુની 75મી પુણ્યતિથિ છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.બાપુના અંતિમ શબ્દ ‘હે રામ’જ્યારે મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી હતી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા તે હતા ‘હે રામ’. તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે અને આ ગુનાના કાવતરામાં તેમની સાથે રહેલા નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસી આપવામાં આવી હતી. તેમને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં…
સ્માર્ટફોનને વારંવાર ચાર્જ કરવો કોઈ વ્યસનથી ઓછું નથી. જ્યારે બેટરી 5 અથવા 10 ટકાથી ઓછી હોય ત્યારે ઘણા સ્માર્ટફોન યુઝર્સ તેમના સ્માર્ટફોનને બે વાર ચાર્જ કરવા માટે મૂકે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે તમારી આ લત તમારા સ્માર્ટફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. તમને જણાવી દઈએ કે સ્માર્ટફોનને વારંવાર ચાર્જ કરવાની આદતને કારણે યુઝર્સ તેમના ફોનને ચાર્જ કરવા માટે ગમે ત્યાં મૂકી દે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત વપરાશકર્તાઓ સાર્વજનિક સ્થળોએ પણ તેમના સ્માર્ટફોનને ચાર્જ કરવાનું શરૂ કરે છે. જે તમારા ડેટા અને પ્રાઈવસી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે…