Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગઈકાલે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.ફરિયાદી તરફથી વકીલ રજુઆત કરી કે 376…

Read More

Today Gujarati News (Desk)આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. જે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે 1 વાગ્યે આર્થિક સર્વે રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે.સંસદમાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર કઠોર હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી, કલમ 370 હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે…

Read More

Today Gujarati News (Desk)સંસદના બજેટસત્ર આજથી શરૂઆત થવા જઇ રહી છે. બજેટસત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી હાજર રહી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં સામેલ થતા પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યા હતી. સંસદ ભવનની બહાર મીડિયા સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિનું ભાષણ ભારતની બંધારણીય સંસદીય પ્રણાલીનું એક ગૌરવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આશાનું કિરણ ઉત્સાહની શરૂઆત લઈ સકારાત્મક અવાજો આવી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.પીએમ મોદીએ કહ્યું કે આપણા…

Read More

Today Gujarati News (Desk)રેલવે મુસાફરોને વેઈટલિસ્ટમાં ટિકિટ મેળવવાની સમસ્યા ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. ભારતીય રેલવે છેલ્લા બે વર્ષથી ટેક્નોલોજી દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધી રહી હતી. ટ્રાયલ બેઝ પર કરવામાં આવેલા પરિક્ષણના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા અને એવી શક્યતા છે કે આગામી દિવસોમાં વેઈટલિસ્ટમાં ટિકિટ મેળવતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને મોટાભાગના મુસાફરોને બુકિંગ સમયે કન્ફર્મ ટિકિટ મળશે. મતલબ, મોટાભાગના લોકોએ ચાર્ટ બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવી નહીં પડશે. મતલબ કે હવે મોટાભાગના લોકોને છેલ્લી ક્ષણે ટિકિટ કન્ફર્મ ન થવાથી નિરાશાનો સામનો કરવો નહીં પડે.કન્ફર્મ ટિકિટ આપવાનો ટ્રાયલ સફળ રહ્યોટ્રેનમાં મુસાફરી કરનારાઓ જ જાણે છે…

Read More

Today Gujarati News (Desk)26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં વિવિધ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો, ભારતીય સેના સહિત અન્ય ટેબ્લા જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતનો ટેબ્લો પણ હતો. ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ અનેક લોકોને આકર્ષિત કર્યાં હતા. ત્યારબાદ ક્યો ટેબ્લો સૌથી શ્રેષ્ઠ છે તેને વિજેતા બનાવવા માટે પબ્લિક પોલનો પણ સહારો લેવામાં આવ્યો હતો. હવે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પબ્લિક પોલમાં ગુજરાતનો ટેબલો નંબર-126 જાન્યુઆરીની પરેડ બાદ લોકોને જે ટેબ્લો કે ઝાંખી ગમી હોય તેના માટે ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવ્યું…

Read More

Today Gujarati News (Desk)આગામી સમયમાં દેશમાં ખાંડના ભાવમાં વધારો થઇ શકે છે. તેનું કારણ એ છે કે દેશના અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા કરે છે. દેશના કુલ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. આ વખતે મહારાષ્ટ્રમાં શુગર મિલોને વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થવાના કારણે નિયત સમય કરતાં બે મહિના પહેલાં બંધ કરી દેવામાં આવી શકે છે. આ સાથે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષ કરતા 7 ટકા ઓછું થઈ શકે છે.સિઝનની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 138 લાખ ટનથી વધુ રહેવાનો અંદાજ હતો. પરંતુ વાસ્તવિક ઉત્પાદન ઘટીને 129-130 લાખ ટન થઈ શકે છે. મહારાષ્ટ્રમાં…

Read More

Today Gujarati News (Desk)આજકાલ ભાગદોડભરી જીદંગીમાં હાર્ટ એટેકની સમસ્યા સતત વધી રહી છે. હાર્ટએટેક અથવા સ્ટ્રોક પાછળ ઘણા કારણો હોય શકે છે, તેમાં પણ જો તમને આ સમસ્યા અથવા બીમારીઓ હોય તો હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતાઓ વધી જતી હોય છે, આવામાં તેને અવગણવું ભારી પડી શકે છે. સ્ટ્રેસ, ખાણીપીણી પર ધ્યાન ન આપવું, બેદરકારી પુર્વકની જીવનશૈલી, પુરતી ઊંઘ ન મળવી, દારૂ કે સિગારેટનું વધાર પડતું સેવન કરવું વગેરે વસ્તુઓના કારણે હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતા વધી શકે છે. એટલે શરીરમાં દેખાતું કોઈ પણ નાનામાં નાની તકલીફ કે સમસ્યાને અવગણના કરવાની ભૂલ કરવી નહિં અને પોતાના શરીરના બધા જ લક્ષણને ધ્યાનમાં રાખીને…

Read More

Today Gujarati News (Desk)કોમેડિયન કપિલ શર્માની કોમેડી માટે દુનિયાભરના લોકો દિવાના છે. કોમેડી સિવાય તેણે એક્ટિંગમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. આ પછી કપિલ શર્મા હવે સિંગર તરીકે પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સિંગર ગુરુ રંધાવાએ શેર કરી પોસ્ટસિંગર ગુરુ રંધાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં તેના નવા ગીતનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેની સાથે કપિલ શર્મા પણ જોવા મળી રહ્યો છે.ગુરુ રંધાવાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા ગીત અલોનનું પોસ્ટર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, ‘અમે તમારી સાથે અલોન શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. કપિલ શર્માનું ડેબ્યુ ગીત સાંભળવા માટે આખી…

Read More

Today Gujarati News (Desk)સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાં રજનીકાંતનું નામ સૌથી ઉપર આવે છે. એક્ટિંગના શહેનશાહ કહેવાતા રજનીકાંતને પરિચયની જરૂર નથી. રજનીકાંતના ફેન્સ દુનિયાભરમાં છે. હાલમાં રજનીકાંતે તેના અંગત અધિકારોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણસર અભિનેતાની મંજુરી વિના તેનું નામ, અવાજ, ફોટો અને તેને લગતી કોઈપણ વસ્તુના પ્રયોગ પર કડકપણે કાર્યવાહી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, રજનીકાંતના વકીલે નોટિસ જાહેર કરી કેટલાંક લોકો વિરુદ્ધ આપરાધિક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ જાહેર નોટિસ પ્રમાણે, જો કોઈ અભિનેતાની મંજુરી વિના તેના અંગત અધિકારોનું ઉપયોગ કરશે તો તેના વિરુદ્ધ કાનૂની પગલા ભરવામાં આવશે.રજનીકાંતના વકીલે જાહેર કર્યું નોટિસ:મોટા ભાગે એવું બનતું…

Read More

Today Gujarati News (Desk)ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે, તો પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીએ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું માનીએ તો 31 જાન્યુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે.પવનની ગતિ કરશે હેરાનહવામાન વિભાગનું માનીએ તો વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે, જોકે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં પવનની ગતિ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઝડપી પવનનો સિલસિલો 1 ફેબ્રુઆરી સુધી યથાવત્ રહેશે.દિલ્હી માટે રાહતના સમાચારહવામાન વિભાગની સત્તાવા વેબસાઈટ મુજબ, આવતીકાલે 31 જાન્યુઆરીએ દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો…

Read More