Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. કોઈ તેને બાચવે તે પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યોઅમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી એક યુવતીએ કોઈ કારણસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો ત્યારે એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું.બ્રિજની નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પરંતુ કોઈ તેને બાચવે તે પહેલાં…
Today Gujarati News (Desk) તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે તલાટીની પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગે આઈપીએસ હસમુખ પટેલે મોટી વાત કરી.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જુનિયર ક્લાર્ક જ નહીં પણ…
Today Gujarati News (Desk)તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી…
Today Gujarati News (Desk)આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું…
Today Gujarati News (Desk)તમને જાણીને નવાઈ લાગશે કે આસામમાં એક એવી જગ્યા છે જ્યાં હજારો પક્ષીઓ આત્મહત્યા કરે છે. ખરેખરમાં આસામના દિમા હાસો જિલ્લાની પહાડીમાં આવેલી જતિંગા ખીણ પક્ષીઓના આત્મઘાતી સ્થળ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જતિંગા ગામ પક્ષીઓની આત્મહત્યાના કારણે ચર્ચામાં આવે છે. સ્થાનિક પક્ષીઓ જ નહીં પણ પ્રવાસી પક્ષીઓ પણ આ સ્થળે પહોંચીને આત્મહત્યા કરે છે. આ કારણે જતિંગા ગામ ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે.આત્મહત્યા કરવાની પ્રવૃત્તિ માણસોમાં સામાન્ય છે, પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે. જતિંગા ગામમાં ઝડપથી ઉડતા પક્ષીઓ મકાન અથવા ઝાડ સાથે અથડાતા તેઓ મૃત્યુ પામે છે. આવું અમુક સાથે…
Today Gujarati News (Desk) બાડમેરમાં એક ધાર્મિક સભામાં બાબા રામદેવે (Baba Ramdev) આપેલા વિવાદાસ્પદ નિવેદનના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન પછી, બાડમેરના ચૌહાતાન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવનાર ફરિયાદીએ કહ્યું છે કે, આ તેની સાથે છેતરપિંડી કરીને તેના દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે. આ ફરિયાદ બાડમેર જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને મળી છે અને આ સંબંધમાં એક મેમોરેન્ડમ સોંપવામાં આવી છે, જેમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હોવાની માંગ કરવામાં આવી છે. તેને બહાને લઈ જઈ નકલી સહીઓ કરાવી હતી. તે કોઈ કેસ કરવા માંગતો નથી.યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153-A, 295-A અને 298 હેઠળ…
બાગેશ્વર ધામમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, ગઢ ગામમાં ચાલી રહી છે વ્યાપક તૈયારીઓ
Today Gujarati News (Desk)પર્ચી પર લખીને લોકોના મનની વાત કહેવાનો દાવો કરનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ જ ચર્ચામાં છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં તેમના નામની ચર્ચાઓ થવા લાગી છે. આ રીતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ મહારાજમાંથી ગ્લોબલ બાબા બની ગયા છે. હાલમાં તે ખાસ તૈયારીઓમાં વ્યસ્ત છે. તેનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે તે પોતે તેની દેખરેખ કરી રહ્યા છે.મહાશિવરાત્રી નિમિત્તે આ વખતે બાગેશ્વર ધામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે છતરપુરના ગડા ગામમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમનું મહત્વ તમે એ વાત પરથી સમજી શકો છો કે ધીરેન્દ્ર…
Today Gujarati News (Desk)આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં જાતિ વ્યવસ્થા અંગે મુક્તમને તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે મુંબઈમાં સંત રોહિદાસ જયંતિ સમારોહમાં સંબોધન કરતા જાતિ વ્યવસ્થા માટે પંડિતોને જવાબદાર ઠેરવ્યા હતા. ભાગવતે કહ્યું કે ભગવાને હંમેશા કહ્યું છે કે મારા માટે બધા એકસમાન, તેમાં કોઈ જાતિ કે કોઈ વર્ણ નથી. પણ પંડિતોએ જે કેટેગરીઓ ઊભી કરી તે ખોટું હતું.કહ્યું – સત્ય જ ઈશ્વર છે તેમણે કહ્યું કે જ્યારે દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઊંચો કે કોઈ નીચો કે કોઈ અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે… નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક…
Today Gujarati News (Desk)કડોદરા ચાર રસ્તા પર પસાર થતી ટ્રકની તપાસ કરતા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાની ૫૦ કિલો વજનની કુલ ૨૫૦ નંગની બેગો સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડીને ૭૪ હજારની સબસિડીયુકત યુરિયા બેગ તથા અંદાજે રૂા.૧૦ લાખની કિંમતની ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રાજય વેરા નિરીક્ષકની ટીમે સુરતના કડોદરા ચાર રસ્તા ખાતે વોચમાં હતી તે વખતે અમદાવાદથી મુંબઈ જતી ટ્રકને ચેક કરતા યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. જેની જાણ નાયબ ખેતી નિયામકને કરતા પલસાણા તાલુકાના ખેતી અધિકારીએ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં સફેદ બોરીઓમાં શંકાસ્પદ યુરિયા હોવાનું માલુમ પડતા આ…