Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અમદાવાદ: રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે. ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ક્યાંક થોડો ઘટાડો થઇ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગે, અમદાવાદ અને ગાંધીનગરનાં તાપમાનની પણ વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31-32 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ માટે ન્યૂનતમ તાપમાન 16.2 અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહેવાની…

Read More

Today Gujarati News (Desk)ભારતીય રેલવે દ્વારા ગુજરાતના ઐતિહાસિક સ્મારકો બતાવતી ટ્રેન તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન ગુજરાતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક સ્મારકોના દર્શન કરાવશે. આ ટ્રેનને ‘ગરવી ગુજરાત’ નામથી શરુ કરવામાં આવશે. ગરવી ગુજરાત નામની આ ઐતિહાસિક યાત્રા કરાવનારી ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી રવાના થવાની છે.28 ફેબ્રુઆરીએ દિલ્હીથી આવી રહેલી ગરવી ગુજરાત ટ્રેનનો કુલ 8 દિવસનો સફર રહેશે જેમાં ગુજરાતના વિવિધ સ્થળોના દર્શન કરાવવામાં આવશે. આ ટ્રેનની ડિઝાઈન સરદાર પટેલના જીવનને આધારિત ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર તૈયાર કરવામાં આવી છે.દિલ્હીથી ઉપડનારી આ ટ્રેન સરદાર પટેલના જીવન પર આધારિત થીમથી તૈયાર કરાયેલી ગરવી ગુજરાત ટ્રેન 3500 કિલોમીટરનું અંતર કાપશે.આ…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદ: ભારતમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે. મંગળવારથી દેશ વિદેશના ડેલિગેટ્સનું આગમન શરૂ થઈ ગયું છે. 35થી વધુ વિવિધ દેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન વખતે ડેલિગેટ્સનું પરંપરાગત ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે, તેમણે જ્યારે જણાવવામાં…

Read More

Today Gujarati News (Desk)अगर आप भी अपने पीसी में गूगल क्रोम ब्राउजर का इस्तेमाल करते हैं तो गूगल के नए अपडेट से आपको झटका लग सकता है। टेक कंपनी गूगल के क्रोम ब्राउजर का इस्तेमाल अब आप अपने पीसी में नहीं कर पाएंगे।जी हां, विंडोज यूजर्स से यह सुविधा छिनने जा रही है। दरअसल गूगल ने क्रोम के लिए नया अपडेट जारी किया है। नए अपडेट के मुताबिक, गूगल ब्राउजर अब सिर्फ विंडोज 10 और इससे आगे के वर्जन को ही सपोर्ट करेगा। यानी विंडोज 10 से नीचे वाले वर्जन के लिए गूगल क्रोम की सर्विस ठप्प हो जाएंगी।नए अपडेट…

Read More

Today Gujarati News (Desk)અમૃતસરના મોહકમપુરા વિસ્તારમાં એક સ્મશાન ગૃહમાં જાન આવી. સ્મશાનમાં જ લગ્નની રસ્મો પૂરી કરવામાં આવી અને યુવતીની વિદાય પણ ત્યાંથી જ કરવામાં આવી. આ પહેલી ઘટના છે કે કોઈ સ્મશાનમાંથી ડોલી ઉઠી હોય. નવ દંપતીએ પોતાના નવા જીવનની શરૂઆત મોહકમપુરાના બિલ્લા વાલા ચોક સ્થિત સ્મશાન ગૃહથી કરી છે. યુવતીનો પરિવાર ગરીબ છે અને સ્મશાન ગૃહમાં જ રહે છે. યુવતી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. દાદાનું થોડા સમય પહેલા મોત નીપજ્યુ છે. હવે દાદી અને પૌત્રી જ સ્મશાન ગૃહમાં બનેલા નાના જૂના ઘરના રૂમમાં રહે છે. દાદીને પૂજાના લગ્નની ચિંતા હતી. પરિવાર ગરીબ હોવાના કારણે પુત્રીના લગ્ન માટે પેલેસ…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની 58,000 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે.મોટાભાગે વેકેન્સી તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની 12,099 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 1,312 જગ્યાઓ ખાલી છે. જ્યારે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની 3,271 જગ્યાઓ અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની 1,756 જગ્યાઓ ખાલી છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાભાગની ખાલી જગ્યાઓ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં છે, જ્યાં શિક્ષકોની 6,180 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 15,798 જગ્યાઓ ભરવાની બાકી છે.IITમાં પણ પદો ખાલી રાજ્યમંત્રીએ જણાવ્યું કે IIT પાસે 4,425…

Read More

Today Gujarati News (Desk)AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારના વલણ પર આજે લોકસભામાં ઉગ્રતાથી કટાક્ષ કર્યા છે. તેમણે લોકસભામાં મુસ્લિમોનું શિક્ષણ, નાણાંના અભાવના કારણે ભણતર છોડવા જેવા સવાલો કરી કેન્દ્ર સરકારને ઘેરી લીધી હતી. તેમણે કહ્યું કે, દેશમાં મુસલમાનોની 19 ટકા વસ્તી છે તેમ છતાં આ લોકો માટે ભાષણમાં એક લાઈન નથી. અસદુદ્દીન ઓવૈસીએ હેટ સ્પીચનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, એવો એક પણ મહિનો નથી ગયો, જેમાં મુસ્લિમોને જાનથી મારવાની ધમકી અપાઈ ન હોય.તેમણે કહ્યું કે, શું નરેન્દ્ર મોદી સરકાર તિરંગામાંથી લીલો રંગ હટાવશે. શું મોદીની સરકાર તરબૂચ પર પ્રતિબંધ મૂકી આદેશ જારી કરશે કે નાગપુરની નારંગી જ ખાવી જોઈએ.…

Read More

Today Gujarati News (Desk)સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કેસમાં હવે નવો ખુલાસો સામે આવ્યો છે. એચ.એન શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ 6 કરોડ અને કુલસચિવ સમક્ષ 5 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. નેહલ શુક્લ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં 15 દિવસમાં બદનક્ષી બદલ વળતર ચૂકવવા કહેવાયું છે. સાથે આ નોટિસમાં જાહેર માધ્યમોમાં માફી માંગવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ મામલે કુલપતિ ભીમાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે કાયદાકીય પ્રક્રિયા કરીશું. નોટિસનો હાલમાં અભ્યાસ ચાલુ છે. આગામી દિવસોમાં નોટિસનો અમે જવાબ આપીશું.નેહલ શુક્લની કોલેજની ભૂમિકા બહાર આવી12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBAઅને B.COMનું…

Read More