Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk) ‘પીને કા પાની નહી દીયા તો પાવડે સે કાટ દીયા’ આ શબ્દો છે એ સાયકો કીલરના જે હાલ વસ્ત્રાપુર પોલીસના સંકજામાં આવી ગયો છે. મંગળવારની સમી સાંજે યુવકની પાવડાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા થઇ હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે ગણતરીની કલાકોમાં નેપાળી યુવકની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે ત્રણ વાગ્યા સુધી નેપાળી યુવકની મેરેથોન પુછપરછમાં તે સાયકો હોવાનું સામે આવ્યુ છે. કોઇપણ કારણ વગર યુવકની હત્યા કરી નાખી હતી અને બાદમાં બિન્દાસ પિઝાની દુકાનમાં નોકરી કરવા માટે આવી ગયો હતો.શહેરના વસ્ત્રાપુર લેકમાં મંગળવારની સાંજે લાલાભાઇ સંગાડા નામના યુવકની ઘાતકી હત્યા થઇ હતી જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી…
Today Gujarati News (Desk) દેશના 6 કરોડથી વધુ ખાતાધારકો લાંબા સમયથી પોતાના EPF પર મળનાર વ્યાજની રાહ જોઈ રહ્યા છે. સરકારે હાલમાંજ બજેટ-2023 રજુ કરી દીધું છે પણ તેમાં વ્યાજના રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈને કોઈ વાત કરી નથી. હજુ સુધી પીએફના વ્યાજના રૂપિયા કોઈ કર્મચારીના ઈપીએફ એકાઉન્ટમાં જમા થયા નથી. ઘણા લોકો ઈપીએફઓ પાસે ટ્વિટર પર આ અંગે પૂછી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટનું માનીએ તો આ રૂપિયા ફેબ્રુઆરીના અંતમાં અને હોળી પહેલા આવી શકે છે.નથી આવ્યા પીએફ પર વ્યાજના રૂપિયાજો આ પહેલાની વાત કરીએ તો 2021માં દિવાળી પહેલા વ્યાજના રૂપિયા આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જો વર્ષ 2022ની વાત કરીએ…
Today Gujarati News (Desk)અમદાવાદ: રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વનાં પવન ફૂંકાશે જેના કારણે આગામી 48 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. આ સાથે મહત્તમ તાપમાન ઊંચુ રહેવાનાં કારણે બપોરે ગરમીનો પણ અહેસાસ થવાનો છે. જેના કારણે ગુજરાતીઓને બેવડી ઋતુ માટે તૈયાર રહેવું પડશે.અમદાવાદમાં આજે સવારે ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે, થોડા દિવસથી રાતે અને સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 24 કલાકમાં શહેરનું તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ઘટ્યું છે. પરંતુ બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેના કારણે લોકો બેવડી ઋતુની અસર થવાને કારણે બીમાર પણ થઇ રહ્યા છે.આજથી પાંચ દિવસ માટે હવામાન…
Today Gujarati News (Desk)આજે અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તેમજ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આગામી માર્ચ મહિનામાં શરુ થનારી બોર્ડની પરીક્ષા પહેલા ડીઈઓ કચેરી દ્વારા નવા પ્રયોગ સ્વરુપે આજથી શહેરમાં પ્રિ-બોર્ડની પરીક્ષા શરુ થઈ છે. આ માટે શહેરની 600 શાળાઓમાં પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષા માટે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષા કોઈપણ ભય કે…
Today Gujarati News (Desk)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે ચર્ચાઓ ચાલી રહી છે, તે ચર્ચામાં સામેલ થઈ હું આદરણીય રાષ્ટ્રપતિનો આભાર માનું છું. સંબોધન દરમિયાન વિપક્ષોએ સૂત્રોચ્ચાર કરતા PM મોદીએ વિપક્ષોને ‘ગુલાબ’થી વળતો જવાબ આપ્યો હતો. બંને ગૃહનો સંબોધતા રાષ્ટ્રપતિએ વિકસિત ભારતનો રોડમેપ રજુ કર્યો હતો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઈ-ભાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ પીએમ મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોના સૂત્રોચ્ચારનો વળતો જવાબ આપ્યો હતો. મોદીએ…
Today Gujarati News (Desk)બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી. આ ઉપરાંત અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી.પહેલા ટેસ્ટમાં ભારતની પકડ મજબૂતપહેલા ટેસ્ટના બીજા સેશનમાં ટી બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ ગુમાવીને 174 રન થયો.અશ્વિને 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી છેસ્પિનર રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીને 36 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે અશ્વિનની ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી…
Today Gujarati News (Desk)ભારતીય રેલવેમાં રોજ-બરોજ હજારો લોકો પ્રવાસ કરતા હોય છે, જેને ધ્યાને રાખી ભારતીય રેલવે પણ મુસાફરોનો પ્રવાસ વધુ સરળ બને તે માટે સમયાંતરે ટ્રેનો વધુ સુવિધાજનક બનાવવાની તેમજ સ્ટેશનોના વિકાસની કામગીરી કરતું રહે છે. તો હવે ભારતીય રેલવેએ દેશના કુલ 1275 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે સ્ટેશનોના વિકાસ માટે તાજેતરમાં જ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાંબા ગાળાના વિચાર ઉપરાંત રોજબરોજના આધારને ધ્યાને રાખી રેલવે સ્ટેશનોના વિકાસની કલ્પના કરવામાં આવી છે.આ રાજ્યોના રેલવે સ્ટેશનોના કાયાકલ્પની તૈયારી‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ આંધ્રપ્રદેશના 72 રેલવે સ્ટેશન, અસમના…
Today Gujarati News (Desk)જ્યારથી અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથની કંપનીઓના શેરોની કિંમતને લઈને ખુલાસો કરાયો છે ત્યારથી અદાણી ગ્રૂપની હાલત દયનીય થઈ ગઈ છે. તેની અનેક કંપનીઓના શેરોમાં મોટાપાયે કડાકો બોલાયો છે. આ દરમિયાન તેને મળેલા કેટલાક મોટા પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ તથા ટેન્ડરો પણ રદ થવાના અહેવાલ આવ્યા હતા. આ બધા વચ્ચે ફ્રાન્સની એક કંપનીએ પણ અદાણી ગ્રૂપના માલિકને વધુ એક માઠા સમાચાર મોકલ્યા છે. 50 અબજ ડોલરનો હાઇડ્રોજન પ્રોજેક્ટ હતો માહિતી અનુસાર ફ્રાંસની એક કંપનીએ અદાણી ગ્રૂપ સાથે કરેલી ભાગીદારી હેઠળ પ્રસ્તાવિત મૂડીરોકાણની યોજના હાલ અટકાવી દેતા રોકાણ કરવાની ના પાડી દીધી છે. ફ્રાન્સની ટોટલ એનર્જી કંપનીએ અદાણી ગ્રૂપના…
Today Gujarati News (Desk)યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે રશિયા તેમના દેશ વિરુદ્ધ યુદ્ધ હારી જશે અને તેમણે મોસ્કોના સૈન્ય આક્રમણના પહેલા દિવસથી જ યુદ્ધગ્રસ્ત દેશને સમર્થન આપવા બદલ બ્રિટિશ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઝેલેન્સ્કીએ સંસદમાં તેમના સંબોધનમાં કહ્યું કે હું અમારા બહાદુર સૈનિકો તરફથી તમારી સમક્ષ ઊભો છું જે હાલ તોપમારાનો સામનો કરી રહ્યા છે. તેમણે દેશ વિશે કહ્યું કે યુક્રેન નક્કીરૂપે બદી પર જીત મેળવશે. આ તમારી અને અમારી પરંપરાઓના મૂળમાં છે. ઓલિવ કલરના પોતાના ટ્રેડમાર્ક ટી-શર્ટમાં આવેલા ઝેલેન્સ્કીએ તેમના ઐતિહાસિક સંબોધનમાં કહ્યું કે રશિયા હારી જશે. આ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878