Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, May 9
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Gujarat»પોસ્ટર વિવાદ : કેજરીવાલ કૃષ્ણનો જાણે સાક્ષાત નવીન અવતાર, ગીતાજ્ઞાન જેમ ગજબનું બોલ્યાPoster Controversy
    Gujarat

    પોસ્ટર વિવાદ : કેજરીવાલ કૃષ્ણનો જાણે સાક્ષાત નવીન અવતાર, ગીતાજ્ઞાન જેમ ગજબનું બોલ્યાPoster Controversy

    todaygujaratinewsBy todaygujaratinews09/10/2022Updated:29/11/2023No Comments7 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link
    1
    ફાઈલ તસ્વીર- પૂજન આરતી 

    यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥4-7॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥4-8॥

    ( मैं अवतार लेता हूं. मैं प्रकट होता हूं. जब जब धर्म की हानि होती है, तब तब मैं आता हूं. जब जब अधर्म बढ़ता है तब तब मैं साकार रूप से लोगों के सम्मुख प्रकट होता हूं, सज्जन लोगों की रक्षा के लिए मै आता हूं, दुष्टों के विनाश करने के लिए मैं आता हूं, धर्म की स्थापना के लिए में आता हूं और युग युग में जन्म लेता हूं. )

                 ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મહાભારત યુદ્ધ સમયે  અર્જુન ને આપેલ ગીતાજ્ઞાન 

    નેશનન ડેસ્ક /ગુજરાતમાં પોસ્ટર વોર અને લેટરબોમ્બ હવે ચૂંટણીમાં પ્રચાર પ્રસારનું બન્યા છે.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે 8 અને 9 ઑક્ટોબર દરમિયાન રાજ્યના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના પ્રચારમાં ઉભો થયેલ પોસ્ટર વિવાદ વકરતો જાય છે.Poster Controversyઅને બને પક્ષના નેતાઓ આરોપો અને પ્રત્યારોપો વચ્ચે આક્રમકઃ બની રહ્યા છે જોકે વિરોધમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદ અને અન્ય શહેરોમાં પોસ્ટર લાગ્યાં છે.જેનાથી આમ આદમી પાર્ટી અકળાયેલ જોવા મળી હતીPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.17.19%20AM
    વિવાદિત બનેલ પોસ્ટર તસ્વીર 

    આ વિવાદ આક્રમક બનાતા મળતા ઇનપુટ મુજબ વડોદરામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ કેજરીવાલને સભા નહીં કરવા દેવા વિરોધ કર્યો છે. જેને પગલે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.જોકે વકરતા વિવાદ વચ્ચે જાહેર સુલેહ શાંતિ જાળવવા પોલીસની મથામણ પણ કાબિલે તારીફ રહી છે.Poster Controversy

    આમ તો આ પોસ્ટર લગાવવાની જવાબદારી હિન્દૂ હિતરક્ષક સમિતિએ સ્વીકારી છે.અગાઉ ના વર્ષોમાં આવા વિવાદમાં ગુજરાતમાં બજરંગ દળ ,અને વિશ્વહિન્દુ પરિષદ હિન્દુત્વ મુદ્દે અગ્રીમ હરોળમાં દેખાયેલ છે જોકે સમય બદલતા હવે આ નામ નવું ભલે હોય પણ હિન્દૂ હિતોની રક્ષાએ કરવાવાળું મોટા નામ તરીકે ગુજરાતમાં ઉભર્યું છે. Poster Controversyજોકે આપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે,તો ભાજપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને આપની હિન્દુવિરોધી માનસિકતા ગણાવે છે અને તેની વિરુદ્ધ હિન્દુ સમાજનો આક્રોશ યોગ્ય હોવાનું કહે છે.Poster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.17.20%20AM%20(1)
    આપ વિરુદ્ધ લાગેલ પોસ્ટર અને હોર્ડિંગ્સ ફોટો 

    વડોદરાની સભામાં કેજરીવાલ જાણે તેઓ સાક્ષાત કૃષ્ણ અવતાર હોય તેવું બોલ્યા ,જુઓ આ ગીતાજ્ઞાન સમાન તેમનું ઉદબોધન ?Poster Controversy

    જે લોકોએ આ પોસ્ટર લગાવ્યાં છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેમણે ભગવાનને પણ છોડ્યા નથી.આજના દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધાં. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. હું આમને જણાવવા માગું છું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને આ કંસનાં સંતાનોનું નાશ કરવા માટે મોકલ્યો છેPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.24.35%20AM
    ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રણભૂમિ માં અર્જુનને આપેલ ગીતાજ્ઞાન ની ધાર્મિક તસ્વીર 
    • હું એક ધાર્મિક માણસ છું,

    1. હનુમાનજીનો કટ્ટર ભક્ત છું.
    2. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે.
    3. બધી જ આસુરી શક્તિઓ મારી વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે
    4. ભગવાન અમારી સાથે છે,
    5. લોકો અમારી સાથે છે,
    6. જનતા પરિવર્તન ઇચ્છે છે
    7. અને તેના કારણે આ લોકો વ્યાકુળ થઈ ગયા છે
    8. આ બધા કંસનાં સંતાનો છે.
    9. ભગવાનનું અપમાન કરે છે.
    10. ભક્તોનું અપમાન કરે છે.
    11. ગુંડાગીરી કરે છે,
    12. મારઝૂડ કરે છે.

    જોકે કેજરીવાલે પોતાના જન્મદિવસ ને જન્માષ્ટમી સાથે ટાંકી જાણે પતે સંયમ વિષ્ણુનો નવીન આધુનિક અવતાર હોય તેવો ઈશારો કરી,ધાર્મિકતા ને વરેલી ભાજપ ને પૌરાણિક સમયના અત્યાચારી રાજા કંસ  સાથે સરખાવી  નવો વિવાદ છેડ્યો છે.Poster Controversy

    ખરેખર શું છે,ગુજરાત પોસ્ટર્સનો આ નવીન વિવાદ?Poster Controversy

    આમ તો આ વિવાદ ગુજરાત બહાર થયો છે ,જોકે ગુજરાતમાં કેજરીવાલ આવતા આ વિવાદ હવે તેમને ઘેરી રહ્યો છે કેમેકે આ વિવાદની શરૂઆત દિલ્હીથી થઈ હતી. દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમમાં હાજર રહેતા વિવાદ સર્જાયો છે.આમ આદમી પાર્ટીના સમાજકલ્યાણ મંત્રી અને સીમાપુરીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ એક કાર્યક્રમમાં સામેલ રહ્યા, જેમાં અંદાજે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.Poster Controversyરાજેન્દ્ર પાલ દ્વારા આ કાર્યક્રમમાં આપવામાં આવેલાં નિવેદનોને જોડી કેજરીવાલ ને જવાબદાર ઠેરવાયા છે.અને તે બાદ ના પોસ્ટર વોર્મ ગુજરાતના મોટા શહેરોમાં જાહેરરોડ પર મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે.જેમાં કેજરીવાલની મુસ્લિમ ટોપી પહેરેલી તસવીર સાથે મૂકવામાં આવ્યાં છે.Poster Controversyપોસ્ટરમાં કેજરીવાલના ફોટોગ્રાફની સાથે ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ લખવામાં આવ્યું છે.અને હિન્દૂ વિરોધી પાર્ટી તરીકે આમ આદમી નો ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે.આ પોસ્ટર વિવાદ માં વિરોધ કરનાર હિન્દુ હીતરક્ષક સમિતિ ગુજરાતમાં રાતોરાત લાઇમ લાઈટ માં આવી ગઈ છે.અને છવાઈ ગઈ છે.જોકે વિવાદ વકરતા સુરતમાં આપના કાર્યકર્તાઓ દ્વારા, જ્યારે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યાં હતાં.Poster Controversy

    ગુજરાતના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો ?Poster Controversy

    આ વિવાદિત મામલે આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, “જેટલાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લાગ્યાં છે, તેની પાછળ ભાજપનાં બૅનર લાગેલાં છે. હું આટલાં વર્ષોથી જાહેરજીવનમાં છું, મેં ક્યારેય કોઈ હિન્દુ હિતરક્ષક સમિતિ જેવા સંગઠનનું નામ સાંભળ્યું નથી.”ભાજપે પોતે જ કેજરીવાલને બદનામ કરવા આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવવાનો ખર્ચો કર્યો છે. જે સંદિગ્ધ રીતે આ ઘટના બની છે, તેના માટે હું ગુજરાતમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જવાબદાર માનું છું અને તેની પાછળ હર્ષ સંઘવીનો દોરીસંચાર હોવાનું માનું છું.”તેવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતોPoster Controversy

    અમારા સુપ્રીમો હનુમાનભક્ત : ઇન્દ્રનીલ રાજ્યગુરુ.નેતા આમ આદમી પાર્ટીPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%203.00.48%20AM
    ઇન્દ્રનીલ રાજ્યગુરુ.નેતા આમ આદમી પાર્ટી

    આ મામલે આપ ના સુપ્રીમો ના પક્ષમાં ગુજરાતના ઇન્દ્રનીલ રાજ્યગુરુ કહ્યું,કે “હનુમાન ભગત કેજરીવાલને આ રીતે ટોપી પહેરાવીને એનાં પોસ્ટરો મારવાં એ હિન્દુત્વને નીચલી કક્ષાએ લઈ જવા માગતા નબળી માનસિકતાના લોકોનું આ કામ છે. Poster Controversyમને ગૌરવ છે હું હિન્દુ છું, કેજરીવાલસાહેબને ગૌરવ છે એ હિન્દુ છે. રાષ્ટ્ર માટે શું થવું જોઈએ, હિન્દુત્વ માટે શું થવું જોઈએ એ બધી જ ચિંતાઓ ભાજપ કરતાં પણ વધારે અમે કરી રહ્યા છીએ.”તેમણે કહ્યું કે, “આટલાં બધાં પોસ્ટર્સ લગાડવાના પૈસા ક્યાંથી આવ્યા? ભાજપ સિવાય આટલા પૈસા કોઈની પાસે છે જ નહીં. આખા ગુજરાતમાં (પોસ્ટર) લગાડવાના પૈસા સ્વાભાવિકપણે જ ભાજપે જ આપ્યા હોય. અને આ પોસ્ટર લાગ્યાં પછી તેને ઉતારવા નહીં તેવી સૂચના પણ ભાજપની સરકારે જ તંત્રને આપી હોય.”Poster Controversy

    ભાજપના જીતુભાઇ વાઘાણી,ઋત્વિકભાઈ પટેલ અને મીડિયા સેલના યજ્ઞેશભાઇ દવેએ પ્રેસ સંવાદ માં કર્યો આમ આદમી પાર્ટીનો વિરોધPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.15.05%20AM
    આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ માં ઝાટકણી કાઢતા ભાજપ નેતાગણ 

    આ વિવાદ મામલે ભાજપ ના ગુજરાતના નેતાગણ અને સંગઠન તેમજ મીડિયા વિભાગ પણ આગળ આવ્યો છે જેમાં એક સંયુક્ત પ્રેસ વાર્તા માં મંત્રી જીતુભાઇ વાઘાણી ,પ્રવકતા ઋત્વિકભાઈ પટેલ અને મીડિયા સેલના યજ્ઞેશભાઇ દવે એ જણાવ્યું હતું કે જેને હંમેશા હિંદુ ધર્મનું અપમાન કર્યું છે એ કેજરીવાલને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે.ગુજરાત માં દરેક ધર્મ ની પોતાની અલગ આસ્થા છે .Poster Controversyત્યારે હિન્દૂ ધર્મ અને દેવતાઓ નું અપમાન થાય તેવા આપત્તીજનક શબ્દો આમ આદમી પાર્ટીના મંત્રી બોલે તે ગુજરાત માં કેવી રીતે ચલાવી લેવાય આ ગુસ્તાખી નો ગુજરાતમાંથી કાયદાની પરિભાષા અને મર્યાદામાં જડબાતોડ જવાબ મળશેPoster Controversy

    વરિષ્ઠ પત્રકાર અને ભાજપ મીડિયા સેલના પ્રવક્તા યામલભાઈ વ્યાસે આમ આદમી પાર્ટીને આપ્યો વળતો જવાબPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.27.57%20AM
    ભાજપ પ્રવકતા શ્રી યામલ ભાઈ વ્યાસ 


    આમ તો આ પોસ્ટર વિવાદમાં માત્ર ગુજરાતના ભાજપ નેતાગણ જ નહિ કેન્દ્રીય અનેક ભાજપી નેતાઓએ આમ આદમી પાર્ટી નો સખ્ત વિરોધ કરી તેમને હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી ગણાવી છે જોકે, ભાજપના મીડિયા સેલના કન્વીનર અને પ્રવક્તા યમલ વ્યાસે આપના આક્ષેપોના વિરોધમાં કહ્યું, હતું કે “આપના નેતાઓની હિન્દુવિરોધી માનસિકતા આ પ્રકારની નથી આ તેઓ જેવા હિન્દુત્વ વિરોધી વિચારસરણી ના લોકો માટે આ કઈ નવી વાત નથી.”તેઓએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે ” આમ આદમી પક્ષના ગોપાલ ઇટાલિયા જેવા સ્થાનિક નેતાએ પણ હિન્દુ સંતો અને કથાકારો વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યાં હતાં અને આવા અનેક બીજા દાખલા પણ છે. આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ આપની હિન્દુવિરોધી માનસિકતા સામે હિન્દુ સમાજનો આક્રોશ છે.”Poster Controversy

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવ્યા મેદાનમાં,આમ આદમી પાર્ટીને લીધી આડા હાથેPoster Controversy

    WhatsApp%20Image%202022 10 09%20at%202.27.57%20AM%20(1)
    પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રુપાણી 

    ગુજરાતમાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “આમ આદમી પાર્ટીનો એક મહત્ત્વનો મંત્રી એમ બોલે કે હું ધર્માંતરણ કરાવીશ અને હું હિન્દુ દેવી-દેવતાઓને માનતો તો આ બાબત આમ આદમી પાર્ટીનું કૅરેક્ટરને ખુલ્લું પાડે છે.””ગુજરાત આવી વાત ચલાવશે નહીં. આ જ ગુજરાતે સૂત્ર આપ્યું હતું કે, હિન્દુ હિત કી બાત કરેગા, વો હી દેશ પે રાજ કરેગા. આ ગુજરાત હિન્દુ હિતવિરોધી વાત ચલાવશે નહીં.”Poster Controversy

    Today%20News%20Gujarati
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    WhatsApp%20Image%202022 10 09%20at%202.17.20%20AM

    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024

    Gujarat News: આ રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે 1,50,000 રૂપિયા, આ રીતે કરો અરજી

    13/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News.

    Type above and press Enter to search. Press Esc to cancel.