Close Menu
Today Gujarati NewsToday Gujarati News

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024
    Facebook X (Twitter) Instagram
    Friday, May 9
    Today Gujarati NewsToday Gujarati News
    Facebook YouTube
    • હોમ
    • નેશનલ
    • ગુજરાત
    • બિઝનેસ
    • રાજકારણ
    • અજબ ગજબ
    • ધર્મદર્શન
    • એન્ટરટેઇનન્મેન્ટ
    • રમત ગમત
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
      • હેલ્થ
      • ફૂડ
      • ટ્રાવેલ
    • સંપર્ક
    Today Gujarati NewsToday Gujarati News
    Home»Festivals»100મા એપિસોડમાં PM મોદીએ કહ્યુંકે, “મન કી બાત” મારા માટે આસ્થા, પુજા અને વ્રત : Man Ki Baat
    Festivals

    100મા એપિસોડમાં PM મોદીએ કહ્યુંકે, “મન કી બાત” મારા માટે આસ્થા, પુજા અને વ્રત : Man Ki Baat

    todaygujaratinewsBy todaygujaratinews30/04/2023Updated:29/11/2023No Comments4 Mins Read
    Facebook Twitter Telegram WhatsApp
    Share
    Facebook Twitter Telegram WhatsApp Copy Link

    Screenshot 20230430 150217




    Today Gujarati News (Desk)

    (ધનેશ પરમાર,નેશનલ ડેસ્ક)

    Mann Ki Baat 100th Episode: પીએમ મોદીએ જણાવ્યુંકે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સામાન્ય લોકો સાથે મળવાનું થતુ હતું. પણ 2014માં દિલ્લી આવ્યા પછી કામનું સ્વરૂપ અને સ્થિતિઓ પરિસ્થિતિઓ સમયની સીમા, સુરક્ષા અને બંધનો અલગ હતા. મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશે. મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો.

    Screenshot 20230430 150326

    Mann Ki Baat: આજે મન કી બાતનો 100 મો એપિસોડ. મને તમારા બધાની હજારો ચિઠ્ઠીઓ અને લાખો મેસેજ મળ્યા છે. મેં વધુમાં વધુ સંદેશાઓ વાંચવાનો પ્રયાસ કર્યો છે. હું તમારા મેસેજ વાંચીને ખુબ ભાવુક થયો છું. 11 વિદેશી ભાષામાં થાય છે મન કી બાતનું પ્રસારણ. દેશના લોકોની સકારાત્મકતાનો પર્વ બન્યો છે મનકી બાત. મનકી બાતનો આ પ્રોગ્રામમાં દેશના ખુણા ખુણામાંથી લોકો જોડાયા. રેડિયો તેનું માધ્યમ બન્યું.

    Screenshot 20230430 150240

    જમ્મુ-કાશ્મીરમાં પેન્સિલ સ્ટેલનું કામ કરે છે મંજુર. જેનાથી 200થી વધારે લોકોને રોજગાર મળ્યો છે.  દેશમાં આવા અનેક પ્રતિભાશાળી લોકો છે. મનકી બાત એ વોકલથી લોકલને પ્રોત્સાહિત કરે છે. સ્વદેશી અપનાવો અને મેક ઈન ઈન્ડ઼િયા, સ્ટાર્ટઅપની વાતો મનકી બાતમાં કરાઈ છે. 

    લોટસ ફાઈબરનો બિઝનેસ વધી ગયો મનકી બાતના પ્રોગ્રામના કારણે. મણિપુરની એક મહિલાએ અપનાવ્યો વોકલ ફોર લોકોલનું સૂત્ર. હવે તે લોકલ ફોર ગ્લોબલને અપનાવી રહી છે. જેનું નામ વિજયા શાંતિ છે. દેશી રમકડાં, દેશી શ્વાસ, હર ઘર તિરંગા અભિયાન, નાના લોકો પાસેથી ખરીદી કરતી વખતે તેમની સાથે ભાવતાલ ન કરવો. આવી વાતો મનકી બાતમાં કહેવામાં આવી છે. 

    ટુરિઝમને પ્રોસ્તાહનઃ

    પીએમ મોદીએ કહ્યુંકે, મનકી બાતથી ટુરિઝમને પણ પ્રોત્સાહનું મળ્યું છે. વિવિધ રાજ્યોમાં વિવિધ સ્તર પર રોજગારી વધી છે. ત્યારે આપણે પણ વિદેશી યાત્રા પર જતા પહેલાં આપણે આપણાં દેશના અન્ય રાજ્યોના ઓછામાં ઓછા 15 ટુરિઝસ્ટ ડેસ્ટિનેશનની મુલાકાત જરૂર લેવી જોઈએ.

    Screenshot 20230430 150534
    ફાઈલ ફોટો 

    દરેક વર્ગ-તબક્કા અને ઉંમરના લોકોની મનની બાતઃ

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, 3 ઓક્ટોબર 2014 ને વિજ્યા દશમીના દિવસે મન કી બાતની યાત્રા શરૂ થઈ હતી. વિજ્યા દશમી એટલે બુરાઈ પર અચ્છાઈની જીતનું પર્વ. મન કી બાત પણ દેશવાસીઓની સકારાત્મક સિદ્ધિઓની વાત કરવામાં આવે છે. આમાં સકારાત્મક વાતોની ઉજવણી કરવામાં આવે છે. દરેક એપિસોડ વિશેષ રહ્યો.  મનકી બાતમાં દરેક ઉંમર, દરેક વર્ગ, દરેક પ્રાંતના લોકો જોડાયા. મનકી બાત જે વિષય સાથે જોડાયું એ જન આંદોલન બની ગયું. 

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, જ્યારે મેં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે મનકી બાત કરી હતી ત્યારે દુનિયાભરમાં તેની ખુબ ચર્ચા થઈ હતી. બીજાના ગુણઓની પુજા કરવું એ મનકી બાત છે. મારા માર્ગદર્શક વકીલ સાહેબે મને બીજા લોકોના ગુણો પરથી શિખવાની પ્રેરણા આપી. બીજાના ગુણોથી શિખવાનું મોટું માધ્યામ છે મન કી બાત. 

    પીએમ મોદીએ જણાવ્યુંકે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સામાન્ય લોકો સાથે મળવાનું થતુ હતું. પણ 2014માં દિલ્લી આવ્યા પછી કામનું સ્વરૂપ અને સ્થિતિઓ પરિસ્થિતિઓ સમયની સીમા, સુરક્ષા અને બંધનો અલગ હતા. મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશે. મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો. પદભાર અને પડકારો દૂર થયા. દરેક મહિને હું દેશવાસીઓના અદભુત સ્વરૂપોના દર્શન કરું છું.

    મનકી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છેઃ પીએમ મોદી

    મનકી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છે. મારા માટે એ એક કાર્યક્રમ નથી. ઈશ્વર રૂપી જનતા જનાર્દનના રૂપમાં પુજા છે. મન કી બાત મારા માટે એક આધાત્મિક યાત્રા છે. મન કી બાત મેં નહીં તુ હી. એ વાતને આગળ વધારે છે. મન કી બાતમાં હું ઘણીવાર ભાવુક થયો છું. 

    નારી શક્તિને વંદનઃ

    સેલ્ફી વિથ ડોટર. હરિયાણાના એક પિતા સાથે વાત કરી. સુનીલભાઈ સાથે પીએમ મોદીએ વાત કરી છે. મન કી બાતમાં મહિલાઓની સિદ્ધિઓની વાત કરવામાં આવી.  સેલ્ફી વિથ ડોટરનું અભિયાન ચાલ્યુ અને દેશભરમાં તેને પ્રચાર પ્રસાર થયો. મનકી બાત એ નારીશક્તિના પ્રયાસોને સામે લાવવાનું મંચ બન્યો.

    યુનેસ્કોના ડીજીનો સંદેશઃ

    દેશવાસીઓને અભિનંદન આપ્યાં. ભારત સાથે ખુબ જુનો અને મજબુત સંબંધ રહ્યો છે યુનેસ્કોનો. દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં અનેક સંભાવનાઓ અનેક સિદ્ધિઓ અને અનેક ટેલેન્ટ છુપાયેલું છે. મનકી બાત તેને એક સારું પ્લેટફોર્મ પુરુ પાડે છે. એજ્યુકેશન અને સાંસ્કૃતિ સંરક્ષણ અંગે ભારતના પ્રયાસોને યુનેસ્કો પણ જાણવા માંગે છે. તેની પાસેથી શિખવા માંગે છે. ભારતની પ્રાચિન પરંપરાઓને પણ જાણવા માંગે છે.

    મનકી બાતમાં નાના-નાના માણસોની મોટી વાત દર્શાવવાનો પ્રયાસ કરાય છે. શિક્ષકોની સારી કામગીરીને દર્શાવવામાં આવી છે. ચલાતા રહો, ચાલતા રહો, ચાલતા રહો આ સૂત્ર આ મંત્ર સાથે જ આ એપિસોડ પુરો કરીએ છીએ. મનકી બાતનો દરેક એપિસોડ બીજા એપિસોડ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. આઝાદીના અમૃતકાળમાં મનકી બાતમાં દર્શાવવામાં આવતી પોજેટિવિ દેશને આગળ લઈ જશે. પીએમ મોદીએ જણાવ્યુંકે, ભારતના લોકો અને ભારતમાં આસ્થા રાખનારા તમામ લોકોનો હું આભારી છું. હું તમારા પરિવારના એક સદસ્યના રૂપમાં તમારી વચ્ચે રહ્યો છું અને તમારી વચ્ચે રહીશ. પોતાનું અને પોતાના લોકોનું ખુબ ખુબ ધ્યાન રાખો.

    Today%20Gujarati%20News%20Footer%20copy
    Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
    Share. Facebook Twitter WhatsApp Telegram
    todaygujaratinews
    • Website

    Related Posts

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    15/08/2024

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024
    Our Picks

    PKL 2024ની હરાજીમાં આ પાંચ ખેલાડીઓને મળ્યા સૌથી વધુ પૈસા, સચિન તંવર ટોપ પર રહ્યા

    16/08/2024

    આજે પુત્રદા એકાદશીના દિવસે કરો આ ઉપાય, તમારા બાળકના જીવનમાં પ્રગતિ થશે

    16/08/2024

    Entertainment :’સ્ત્રી 2′ vs ‘ખેલ ખેલ મેં’ Vs ‘વેદા’ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, આ ફિલ્મ પહેલા દિવસે જ કરશે બમ્પર કમાણી

    15/08/2024

    Food :આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ

    15/08/2024
    Stay In Touch
    • Facebook
    • YouTube
    Don't Miss

    National News: પટનાના ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ધ્વજ ફરકાવ્યો

    National 15/08/2024

    દરભંગા નેહરુ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન પ્રસંગે રાષ્ટ્રગીત રજૂ કરતી છોકરીઓ. આતા, પટના: સ્વતંત્રતા…

    Gujarat News :અમરેલીમાં સિંહ અને કૂતરા વચ્ચે જોરદાર અથડામણ થઈ, આ દુર્લભ દ્રશ્ય CCTVમાં કેદ થયું

    15/08/2024

    National News: અમે ટિપ્પણી કરતા નથી… વિદેશ મંત્રી જયશંકરની યુએસ ચૂંટણી પર ટોણો માર્યો

    14/08/2024

    Gujarat News: આ સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે, જાણો તેનું ટાઇમ ટેબલ

    14/08/2024
    Facebook YouTube
    • હોમ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ ગજબ
    • સ્પોર્ટ્સ
    • એન્ટરટેઇનમેન્ટ
    • ટેક્નોલોજી
    • લાઈફસ્ટાઇલ
    • સંપર્ક
    © 2025 Today Gujarati News.

    Type above and press Enter to search. Press Esc to cancel.